
વૈષ્ણવોના સરકાર તૃતીય પીઠાધીશ્વર વલ્લભ કુલભૂષણ પૂજ્ય શ્રી ડો.વાગીશ કુમાર મહારાજ શ્રી ના જન્મોત્સવ નિમિત્તે બેઠક મંદિર ખાતે તારીખ 18મી જૂન ના રોજ શ્રીજીના અલૌકિક બડો મનોરથ દર્શન સાજના 6-00 કલાકે સુખધામ મંદિર ખાતે કમલ તલાઈ માં ખસના બંગલાના દર્શન. તારીખ 19 જૂન ના રોજ બેઠક મંદિર ખાતે સવારના ગ્વાલ શ્રીજીને પારણે ઝુલાવી નંદ મહોત્સવ, રાજભોગ મંડળી નો દર્શન, ત્યારબાદ પૂજ્ય શ્રી ના માકેન્ડય પૂજન, શયન માં પ્રભુના કમલ તલાઈ ખસ બંગલાના દર્શન , સાંજ 7-00 કલાકે કીર્તન સમાજનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ઉપરાંત પૂજ્યશ્રીને કેસર સ્નાન, અને ચરણસ્પર્શનો દિવ્ય અલૌકિક લ્હાવો વૈષ્ણવો લઈ શકશે . સકલ વૈષ્ણવ સૃષ્ટિ દ્વિદિવસીય અલૌકિક લ્હાવો લેવા વિનંતી.

