[the_ad id="758"]

Homeधर्म - भगतिડભોઇમાં ગણપતિ બપ્પાના પ્રાગટ્ય દિવસની ઊજવણી, ભારે શ્રધ્ધાભેર કેક કાપી "હેપી બર્થ...

ડભોઇમાં ગણપતિ બપ્પાના પ્રાગટ્ય દિવસની ઊજવણી, ભારે શ્રધ્ધાભેર કેક કાપી “હેપી બર્થ ડે”ના નારા લાગ્યા

oplus_2

હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહા સુદ ચોથના મહિનાના સુદ પક્ષની ચતુર્થીને ગણપતિ બાપ્પાનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. ડભોઈ નગરની મધ્યમાં લાલ બજાર પાસે મોતીબાગ જવાના માર્ગ પાસે આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિજીના મંદિરે ગણપતિ બાપાના પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે સાંજે 7:00 કલાકે નાના ભૂલકાઓ દ્વારા કેક કાપી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ડભોઇમાં અઢીસો વર્ષ પૂર્વેના વડોદરાના ગાયકવાડ શાસનમાં સ્થાપિત સિદ્ધિવિનાયક મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો “ગણપતિ બપ્પા મોરિયા”ના નારા લગાવી કેક કાપી સમૂહ આરતી કરવામાં આવી હતી.

સમાચારના વિડિયો જોવા નીચેની લીંક ઉપર ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇👇👇

ગણપતિ બાપ્પાને કેકનો ભોગ: ડભોઇના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણપતિ બપ્પાને વિવિધ પ્રકારના ભોગ જેવા કે, શીરો, બુંદી, ચોકલેટ ,લાડુ અને કેકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. મંદિર ખાતે ઉપસ્થિત નાના ભૂલકાઓ દ્વારા ગણેશજીના જન્મદિન નિમિત્તે કેક કાપીને શ્રદ્ધાભેર ઉપસ્થિત ભક્તજનોએ આરતી કરી હતી અને ગણપતિ બપ્પા મોરિયા અને હેપી બર્થ ડેના નારા લગાવ્યા હતા.

ફુગ્ગા અને ઇંગ્લિશ ફૂલો દ્વારા સુશોભન: મહા સુદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનો જન્મદિવસ હોય છે. જે નિમિત્તે ડભોઇના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરને ભક્તજનો દ્વારા આકર્ષક ઇંગ્લિશ ફૂલોથી ભગવાન ગણેશજીનું સિંહાસન શણગારવામાં આવ્યું હતું . ઉપરાંત આકર્ષક રંગબેરંગી ફુગ્ગાઓથી અને લાઇટોની રોશનીથી મંદિરને સુશોભિત કર્યું હતું.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“brushes”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false,”used_sources”:{“version”:1,”sources”:[{“id”:”383911738042900″,”type”:”ugc”},{“id”:”504841450018211″,”type”:”ugc”},{“id”:”368384579011211″,”type”:”ugc”},{“id”:”318254035405211″,”type”:”ugc”}]}}

જમણી સૂંઢના ગણેશજી બિરાજમાન: સમગ્ર ગુજરાતમાં સામાન્ય રીતે જોઈએ તો ગણપતિની મૂર્તિ જોવા મળે, એ પરંતુ મોટેભાગે ડાબી સૂંઢના જ ગણપતિની પ્રતિમા હોય છે. પરંતુ સમગ્ર ગુજરાતની અંદર લગભગ 3થી 4 જ મંદિરમાં જમણી સૂંઢના બિરાજમાન ગણેશજી જોવા મળે છે. જેથી ભક્તજનોમાં આ ગણેશજી માટે ભારે આકર્ષણ અને શ્રદ્ધા જોવા મળતી હોય છે. એટલું જ નહીં પરંતુ રાજા રજવાડા વખતની સ્થાપિત મૂર્તિ અને આ મંદિરમાં ગણેશજી હાજરા હજૂર છે. તેમજ ભક્તજનો દ્વારા આ મંદિરેથી લીધેલી દરેક ટેક ગણેશજી પૂર્ણ કરતા હોય છે. તેવું ભક્તોએ જણાવ્યું હતું.

મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ: ડભોઇ નગરીમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરે દર ચોથના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતી માટે આવતા હોય છે. આજરોજ ગણેશજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પણ મંદીના વહીવટ કરતાઓ દ્વારા સુગમ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. જેને લઈને ભક્તો શાંતિથી દર્શન અને આરતીનો લાભ પણ લઈ શકે, આ મંદિરના પ્રાંગણમાં ગણેશજીનું પ્રાગટ્ય દિવસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ ભક્તજનોએ ભારે શ્રદ્ધાભેર આરતી કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારી તેમજ પ્રમુખ આર.બી ભટ્ટ( વકિલ), ઉપપ્રમુખ પ્રકાશભાઈ અચ્છોલાલ શાહ ( P.O.SHAH), ધનશ્યામભાઈ દુલાણી, પીન્ટુ ભાઈ, વિજયભાઈ સોની સહિતના ટ્રસ્ટીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular