
સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના પાવન અવસરે ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લાખો ભક્તોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કષ્ટભંજન દેવના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિ, શ્રદ્ધા તથા ભવ્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

સવારે મંગળા આરતી સાથે ઉજવણીની શરૂઆત થઈ હતી. ત્યારબાદ શણગાર આરતી દરમિયાન 8 કિલોના શુદ્ધ સોનાથી બનેલા અને હીરા-રત્નોથી અલંકૃત સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન ભક્તોને પ્રાપ્ત થયા હતા. આ અલૌકિક વાઘા તૈયાર કરવા માટે લગભગ 100 કારીગરોએ 1050 કલાક સુધી મહેનત કરી હતી।ઉજવણીના ભાગરૂપે 151 કિલોની વિશાળ કેક કાપવામાં આવી હતી અને આકાશમાંથી 1 લાખ રંગબેરંગી બલૂનનું ડ્રોપિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસર આનંદ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યું હતું. ભક્તો ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના ગાન સાથે ભક્તિમય માહોલમાં લીન થઈ ગયા હતા।વિશ્વ કલ્યાણ માટે આયોજિત સમૂહ મારુતિ યજ્ઞમાં આ વર્ષે નવો રેકોર્ડ નોંધાયો હતો, જેમાં 751 પાટલાઓ પર 1000થી વધુ ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી હતી.

આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દેશની શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી।આ રીતે, હનુમાન જયંતિના અવસરે સાળંગપુરધામમાં ભવ્ય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તિ અને ઉત્સાહનો અદભુત માહોલ સર્જાયો હતો।

