
શહેરના વાઘોડિયા રોડ પર સૂર્ય નગર ગરબા ગ્રાઉન્ડ ખાતે મનોરથી ગોપાલભાઈ રોકડવાલા પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથા નું રસપાન પૂજ્ય શ્રી હરિરાયજી મહોદય શ્રી ના સ્વમુખે કરવામાં આવ્યું જે અંતર્ગત પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતોની દેશ અને દુનિયામાં સુવાસ ફેલાવનાર સ્ટાર પ્રચારક સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી, વિવિધ વૈષ્ણવ હવેલીઓના નિજ સેવક ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા ના શ્રેષ્ઠી રાજેન્દ્ર. જે. શાહ જબુગામ વાળા ની શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન સુંદર સેવાકીય પ્રવૃત્તિને કારણે પૂજ્ય શ્રી હરિરાયજી મહોદય શ્રી ના કરકમલો દ્વારા વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.


